Subscribe Us

Gandhi jayanti






🇮🇳 *મોહનદાસ કરમચંદ ગાંધી* 🇮🇳


♦️ઉપનામ

▪️મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા


♦️જન્મ 

2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર


♦️અવસાન

30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી


♦️કુટુમ્બ

▪️માતા-  પૂતળીબાઈ ;   પિતા – કરમચંદ (કબા) ગાંધી


♦️પત્ની 

કસ્તૂરબા (લગ્ન- 1881 )  ️ પુત્રો –  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ


♦️અભ્યાસ

1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ


♦️કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર

♦️બૅરિસ્ટર (લંડન)


♦️વ્યવસાય

આફ્રીકામાં વકીલાત


પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

♦️પ્રદાન


▪️ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક


▪️અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત


▪️પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

♦️જીવનભર સત્યશોધક


▪️જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક


▪️અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

♦️જીવન ઝરમર


▪️પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન


▪️દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ


▪️1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.


♦️દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત


▪️ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,


▪️રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ


♦️ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો


♦️1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,


▪️અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના


▪️ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🔹1920 –  અસહકારનું આંદોલન


🔹1930 –  ઐતિહાસિક દાંડીકૂચ


🔹1942  –  “હિંદ છોડો” ચળવળ


🔸1948 –  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


♦️મુખ્ય રચનાઓ♦️


☑️આત્મકથા – સત્યના પ્રયોગો


☑️પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;


☑️નિબંધો –  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.


☑️પત્રલેખન – ગાંધીજીના પત્રો


☑️સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


♦️સન્માન♦️


▪️દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.


▪️તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.


▪️તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.


▪️તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.


▪️તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.


▪️આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી....


🙏 આ માહિતી Share કરજો🙏

〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Post a Comment

0 Comments