Subscribe Us

ગુજરાત નો ઇતિહાસના 50 વનલાઈનર




1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

Ans : 28 ડિસેમ્બર1885


2. 20 જુલાઈ 1905માં રોજ બંગાળના ભાગલાની જાહેરાત કોણે કરી હતી ?

Ans : લોર્ડ કર્ઝેન


3. "શોક દિન" તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો હતો ?

Ans : 16 ઓકટોબર, 1905


4. ગાંધીજીએ "ડુંગળી ચોર" નું ઉપનામ કોને આપ્યું હતું ?

Ans : મોહનલાલ પંડ્યા


5. અમદાવાદ ખાતે ક્યાં વાઇસરોય પર બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા ?

Ans : લોર્ડ મિન્ટો


6. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો ?

Ans : માંડવી (કચ્છ)


7. અંગ્રેજ સરકાર સામે લડવાવાળી પહેલી વિરાગનાં કોણ હતી ?

Ans : રાણી ચેન્નમ્માં


8. ભારતમાં વિદેશી કાપડની હોળી કરનાર પહેલા વ્યક્તિ કોણ હતા ?

Ans : વિનાયક દામોદર સાવરકર


9. સાર્જન્ટ ટેલરને ગોળી મારીને કોણ ભાગી ગયું હતું ?

Ans : દુર્ગાભાભી


10. "સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જંપીસ " આ સૂત્ર કોણે આપ્યું હતું ?

Ans : બાળ ગંગાધર તિલક


11. બાળ ગંગાધર તિલકને કયું કયું નામ આપીને બિરદાવ્યા હતા ?

Ans : લોકમાન્ય


12. ગાંધીજીની સમાધીનું નામ શું છે ?

Ans : રાજઘાટ (દિલ્હી)


13. પ્રવાસી ભારતીય દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે ?

Ans : 9 જાન્યુઆરી


14. સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?

Ans : ગાંધીજીએ


15. ગાંધીજી આશ્રમમાં ક્યાં નામના મકાનમાં રહેતા હતા ?

Ans : હ્રદયકુંજ


16. ઇ.સ.1917માં ગુજરાત સભાનું અધિવેશન ક્યાં ભરાયું હતું ?

Ans : ગોધરા


17. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?

Ans : 18 ઓકટોબર, 1920


18. અસહકાર આંદોલનનો પ્રારંભ ક્યારે થયો હતો ?

Ans : 1 ઓગસ્ટ,1920


19. ખેડા સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

Ans : 22 માર્ચ , 1918


20. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલા વર્ષ સુધી રોકાયા હતા ?

Ans : 21 વર્ષ


21. "ઇન્ડિયન હોમરુલ સોસાયટી" ની સ્થાપના કોણે કરી હતી ?

Ans : શ્યામજી કૃષ્ણ વર્મા


22. સૌપ્રથમ વાર મેડમ કામાએ હિન્દનો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવ્યો હતો ?

Ans : જર્મનીમાં


23. કોના સુચનથી "શોક દિન"ને "એકતા દિવસ" તરીકે પણ ઉજવવામાં આવ્યો ?

Ans : રવીન્દ્રનાથ ટાગોર


24. ઇ.સ. 1907 માં 23મુ અધિવેશન ક્યાં ભરાયું હતું ?

Ans : સુરત


25. ભારતની આઝાદી પહેલ 56 અધિવેશનો થયા હતા તેમાં ગુજરાતમાં કેટલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ?

Ans : 4 અધિવેશન


26. દિલ્હીમાં ગાંધીજીને ગોળી કોણે મારી હતી ?

Ans : નથુરામ ગોડસે


27. સાબરમતી આશ્રમમાં આવેલ "ગાંધી સ્મારક સંગ્રહાલય" નું ઉદઘાટન કોણે કર્યું હતું ?

Ans : પંડિત જવાહરલાલ નહેરુ


28. અંગ્રેજોએ ગાંધીજીને કયો ખિતાબ આપ્યો હતો ?

Ans : કેસર - એ - હિન્દ


29. ગાંધીજી દ્વારા ભારતમાં ચલાવેલ પ્રથમ વાસ્તવિક ખેડૂત આંદોલન કયું હતું ?

Ans : ખેડા સત્યાગ્રહ


30. "અખિલ ભારત ગુજરાત કોલેજ દિવસ" તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો ?

Ans : 30 જાન્યુઆરી, 1929


31. ભારતમાં ક્યાં દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું ?

Ans : 26 જાન્યુઆરી


32. ગાંધીજીએ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા આંદોલન દરમ્યાન કઈ પદયાત્રા યોજી હતી ?

Ans : દાંડીકૂચ


33. દાંડીકુચની શરૂઆત ક્યારે થઈ હતી ?

Ans : 12 માર્ચ , 1930


34. "મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે , અને હું કાગડા કુતરાના મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી" આ પ્રતિજ્ઞા ગાંધીજીએ ક્યાં કરી હતી ?

Ans : સાબરમતી આશ્રમ (પ્રાથના સભામાં)


35. ગાંધીજી પોતાના કેટલા સાથીઓ સાથે સત્યાગ્રહ આશ્રમથી દાંડી જવા નીકળ્યા હતા ?

Ans : 78


36. ગાંધીજી ક્યાં દિવસે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?

Ans : 6 એપ્રિલ, 1930


37. દાંડીકૂચને યાત્રાને "નેપોલિયન ની પેરિસ માર્ચ" સાથે કોણે સરખાવી હતી ?

Ans : સુભાષચંદ્ર બોઝ


38. દાંડીકૂચને "મહાભિનીષ્કમણ" સાથે કોણે સરખાવી ?

Ans : મહાદેવભાઈ દેસાઈએ


39. ગાંધી-ઇરવીન કરાર ક્યારે થયો હતો ?

Ans : 5 માર્ચ, 1931


40. બ્રિટિશ સરકારે ભારતની બંધારણીય સમસ્યાનો નિકાલ લાવવા માટે કેટલી ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું ?

Ans : 3


41. ગાંધીજીને "અર્ધનંગા ફકીર" કોણે કહ્યું હતું ?

Ans : ફેંક મોરેસે


42. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરની ઉપમા આપી હતી ?

Ans : ઝવેરચંદ મેઘાણી


43. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 52મુ અધિવેશન ક્યાં ભરાયું હતું ?

Ans : હરિપુરા (સુરતમાં)


44. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પંસદગી કરી ?

Ans : વિનોબા ભાવે


45. "કરેંગે યા મરેગેં, લેકિન આઝાદી લેકે હી રહેંગે" આ સૂત્ર પ્રજાને કોણે આપ્યું ?

Ans : ગાંધીજીએ


46. સૌરાષ્ટ્રમાં કુલ નાના મોટા કેટલા રજવાડાઓ હતા ?

Ans : 222


47. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

Ans : ઉછગરાય ઢેબર


48. ભારતની આઝાદી પછી દીવ,દમણ અને દાદરા નગર હવેલી પર કોણ શાસન કરતું હતું ?

Ans : પોર્ટુગીઝ


49. જૂનાગઢ ક્યા દિવસે સ્વતંત્ર થયું હતું ?

Ans : 9 નવેમ્બર, 1947


50. આરઝી હકુમતના પ્રમુખ કોણ હતા ? 

Ans : શામળદાસ ગાંધી


આ માહિતી Share  કરજો

Post a Comment

0 Comments